મોરબીના સોઓરડી વિસ્તારમાંથી તરુણ લાપતા

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારની શેરી નંબર 10માં રહેતા ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા ઉ.વ. 15 નામનો તરુણ આજે સવારે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બની ગયો છે. પુત્ર સમયસર ઘરે ન આવતા તેમના પરિવારજનોએ શોધખોળ કરી હતી. પણ તેનો પત્તો લાગ્યો ન હતો. આથી આ તરુણની કોઈને ભાળ મળે તો મો.9924200920, 8160187918 ઉપર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text