સાવધાન ! ચોમાસામાં ભોંય પથારીએ સુવામાં ધ્યાન રાખજો, ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મૃત્યુ

- text


મોરબીના બેલા આમરણ ગામે બનેલો બનાવ

મોરબી : હાલમાં ચોમાસાની સીઝનમાં ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે મોરબી તાલુકાના આમરણ બેલા ગામના રહેવાસી ગોદાવરીબેન ઉર્ફે જયશ્રીબેન હમીરભાઈ જિલરીયા નામના મહિલા રાત્રે ભોંય પથારીએ સુતા હતા ત્યારે ઝેરી જીવજંતુ કરડી જતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text