હળવદના ભલગામડા નજીક છકડો રીક્ષા પલટી જતા યુવાનનું મોત

- text


હળવદ યાર્ડમાં તલ ખાલી કરી પરત જતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત

હળવદ : હળવદ તાલુકાના દીઘડિયા ગામના યુવાનનું ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે છકડો રીક્ષા પલટી મારી જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા વિજયભાઈ વિનાભાઈ ઠાકોર ઉમર વર્ષ 21 આજે તેઓના છકડો રીક્ષામાં દિઘડીયાથી તલ ભરી હળવદ યાર્ડમાં ખાલી કરવા આવ્યા હતા અને હળવદથી પરત દિઘડીયા જઈ રહ્યા હતા ત્યારે ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિર પાસે છકડો રીક્ષા પલટી મારી જતા વિજય ભાઈનુ મોત નીપજ્યું હતું.

- text

બીજી તરફ અકસ્માતની જાણ 108 ની ટીમને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી જય વિજયભાઈને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ પરિવારજનોને થતા તેઓ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખની છે કે મૃતક વિજયભાઈ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. જેઓના લગ્ન હજી એકાદ માસ પહેલા જ થયા હતા.

- text