હળવદની દિઘડિયા શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

- text


મોરબી : હળવદ તાલુકાના દિઘડિયા ગામની પ્રાથમિક શાળામાં ચાલુ વર્ષમાં બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 65 બાળકોને દિઘડિયા ગામના પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય સ્વ. જીવુભાબાપુ ગેલુભાબાપુ ઝાલાના પરિવાર તરફથી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિઘડિયા ગામની પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી બાળકો તથા ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા બાળકોને રામદેવ સિંહ ઝાલાના તથા અરવિંદભાઈ સાધુ તરફથી રોકડ પુરસ્કારનું ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. આ સાથે શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરપંચ, ઉપસરપંચ, એસ. એમ. સી સભ્યો, વાલીગણ, ગ્રામજનો હાજર રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.

- text

- text