વાંકાનેરમાં પરિણીતાનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરના અરુણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ રાઠોડ નામના 36 વર્ષીય પરણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી પી લેતા તેમને સારવાર અર્થે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમીયાન તેણીએ દમ તોડી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હેતલબેનના લગ્ન 17 વર્ષ પેહલા થાય હતા અને સંતાનમાં પુત્ર-પુત્રી હોવાનું જાણવા મળે છે.

- text

- text