- text
મોરબી : સંભવિત બિપોરજોય વાવાઝોડું અને વરસાદની આગાહીના પગલે મોરબી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
- text
મોરબી માર્કેટિંગ યાર્ડ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા જનરલ કમિશન એજન્ય ભાઈઓ, વેપારીઓ તથા ખેડૂતોને જણાવાયું છે કે વાવાઝોડું તથા વધુ વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં માલની આવક બંધ રાખવાંમાં આવી છે. જેથી કોઈ ખેડૂતોએ માલ લઈને ન આવવા જણાવાયું છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મોરબી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. સાથે જ વેપારીઓને પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા જણાવાયું છે.
- text