મોરબી જલારામ મંદિર દ્વારા શબવાહિની તથા સ્થાનિક એબ્યુલન્સ સેવા વિનામુલ્યે આપવામાં આવશે

- text


મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા તથા સ્થાનિક એબ્યુલન્સ સેવા સમાજને વિનામુલ્યે આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

- text

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, વિનામુલ્યે નેત્રમણી કેમ્પ, મેડિકલ સાધનોની સેવા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિ વિસર્જન, કુદરતી આફત સમયની સેવા સહીતની વિવિધ સેવાઓ સમાજને પ્રદાન કરવામાં આવી રહી છે ત્યારે વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ સ્થાનિક એબ્યુલન્સ મેળવવા માટે પ્રવિણભાઈ કારીયા- ૯૮૭૯૮૭૪૯૧૪, ચિરાગભાઈ રાચ્છ- ૯૦૯૯૬૦૦૦૮૧, હરીશભાઇ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે જણાવ્યું છે.

- text