- text
તાલુકા ભાજપ સંગઠન દ્વારા કારોબારી બેઠક યોજાઇ
મોરબી : મોરબી તાલુકા ભાજપ કારોબારી બેઠક આજરોજ યોજવામાં આવી હતી જેમાં આગામી સમયમાં વિશેષ જનસંપર્ક અભિયાન યોજવા નક્કી કરાયું હતું.
આજરોજ મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠક સાસંદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય ખાતે મળી હતી. આ કારોબારી બેઠકમા આગામી 30મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા કેન્દ્રમા ભાજપ સરકારના 9 વર્ષ પુર્ણ થતા હોય 30 મેથી 30 જુન સુધી મોરબી જીલ્લાના લોકસભા વિસ્તારમા વિશેષ જનસંપર્ક અભિયાન યોજવાની જાહેરાત આ બેઠકમા કરવામા આવી હતી.
- text
આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા જીલ્લા ભાજપ પ્રમુખ તથા ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી માળીયા ઘારાસભ્ય કાતિભાઇ અમૃતિયા, પુર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જયુભા જાડેજા, એપીએમસી ચેરમેન ભવાનભાઇ ભાગિયા, જીલ્લા પંચાયત ચેરમેન જયતિંભાઇ પડશુબીયા , હીરાભાઇ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ, ચેરમેન રાકેશભાઇ, આઇ ટી વિભાગના કવિન શાહ તથા મોરબી તાલુકા ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
- text