મોરબીના નવલખી રોડ પર આવેલા શનિદેવ મંદિરે શનિદેવ જયંતિની ઉજવણી કરાઈ 

- text


મોરબીઃ મોરબીના નવલખી રોડ પર આવેલા અક્ષરપાર્ક સ્થિત 16 વર્ષ જૂના શનિદેવ-સાંઈબાબા મંદિરે આજ રોજ શનિદેવ જયંતી (જન્મોત્સવ)ની ઉજવણી કરવામાં આવી હતી.

શનિદેવ જયંતી નિમિત્તે આજે તારીખ 19 મે ને શુક્રવારના રોજ સવારે 8 થી 12-30 વાગ્યા સુધી શનિ હવનનું આયોજન કરાયું હતું. જ્યારે બપોરે 12-30 કલાકે ભોજન સમારંભ યોજાયો હતો. યજ્ઞના યજમાન પદે શાસ્ત્રી અમિતભાઈ જે. પંડ્યા બિરાજમાન થયા હતા. શ્રી શનિદેવ મંદિર સેવા સમિતિ દ્વારા આયોજિત આ શનિદેવ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text