- text
સિવિલ હોસ્પિટલમાં ગેઇટમાં તલાવડા ભરાતા દર્દીઓને હાલાકી
મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રે સામાન્ય પડેલા માવઠામાં પણ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. સિવિલ હોસ્પિટલમાં ગેઇટમાં તલાવડા ભરાતા દર્દીઓને હાલાકી પડી રહી છે અને સજા થવા આવતા દર્દીઓ વધુ માંદા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબી પંથકમાં ગતરાત્રે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. આ સામાન્ય માવઠામાં પણ મોરબીની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. જેમાં સિવિલ હોસ્પિટલના એન્ટ્રી ગેઇટ પર પાણીના તલાવડા ભરાયા છે. આથી દર્દીઓ સાથે સાજા આવતા તેમના સગા સબંધીઓ પણ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોને હોસ્પિટલમાં જવા માટે આ પાણીમાંથી પસાર થવું પડે છે. પાણી સતત ભરાય રહેવાને કારણે મચ્છરોનો ત્રાસ પણ વધશે આથી આ પાણીનો વહેલીતકે નિકાલ કરવાની માંગ ઉઠી છે.
- text
- text