- text
હળવદ : હળવદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશન પાસે માલગાડીની અડફેટે આવી જતા દિવ્યાંગ યુવાનનુ મોત નિપજ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળદરના રેલવે સ્ટેશન પાસે આજે બપોરના 1:00 વાગ્યા બાદ શહેરના બસ સ્ટેશન પાછળ રહેતા અમિતભાઈ કાનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 35 પોતે દિવ્યાંગ હોય અને રેલવે સ્ટેશન બાજુ આવ્યા હોય તે સમયે કચ્છ તરફથી આવતી માલ ગાડીની અડફેટે આવી જતા અમિતભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજયું હતું.
- text
- text