વાંકાનેરના ભલગામમાં 11 દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ યોજાયો

- text


માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું સફળ સેવાકીય આયોજન 

વાંકાનેર : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ 11 જેટલી દીકરીઓના લગ્ન કરી આપી તેમને કરિયાવર આપી માનભેર વિદાય આપી હતી.

રાજકોટ -અમદાવાદ હાઇવે પર ભલગામ મુકામે માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બૌધ્ધ વિધિથી સર્વ સમાજ સમુહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ 11 જેટલી દીકરીઓનો આ સમૂહ લગ્નમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સમૂહ લગ્નની સાથે સાથે ડૉ. લક્ષ્મણભાઈ ચાવડાના સૌજન્યથી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં વિવિધ તબીબી શાખાના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત નેત્રનિદાન કેમ્પ પણ યોજાયો અને જરૂરિયાંતમંદ વ્યક્તિઓને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ કોઈ દર્દીને મોતીયા હશે તો રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરાવી આપવામાં આવશે.

આ કાર્યમાં સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડી રહ્યો હતો. બોધ વિધિથી 11 જેટલી કન્યાઓ ના લગ્ન કરાવી કરિયાવર આપી તમામ દીકરીઓ ને માનભેર વિદાય આપી હતી. આ સમૂહ લગ્ન માં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગુજરાત ભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેડિકલ કેમ્પનો બોહળા લોકોએ લાભ લીધો હતો. શાંતિથી અને સારી રીતે લગ્ન પૂર્ણ થતાં આ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને સહયોગી નો આયોજક સી એન અંબાલિયા અને અજીતકુમાર એચ. બૌદ્ધ એ દિલથી આભાર માન્યો હતો.

- text

- text