Morbi: ‘હું એકપણ વાર મતદાન ચૂકી નથી’: મોરબીના મતદાર નિરાલીબેન ભૂત

- text


Morbi: ચૂંટણી એ લોકશાહીનો પાયો છે અને એ લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન ખૂબ આવશ્યક છે. આજે મહદ અંશે લોકો મતદાનનું મહત્વ સમજતા થઈ ગયા છે અને મતદાન માટે જાગૃત બની અવશ્ય મતદાન કરી રહ્યા છે. ત્યારે મોરબીના નિરાલીબેન આકાશભાઈ ભૂત મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.

- text

તેમણે જણાવ્યું હતું કે હું મોરબીની મતદાર છું. મને જ્યારથી મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારથી આજ સુધી ક્યારે પણ મતદાન કરવાનું ચૂકી નથી. આજ સુધી આવેલી તમામ ચૂંટણીઓમાં મેં અચૂકપણે મતદાન કર્યું છે અને આગામી સમયમાં પણ અવશ્ય મતદાન કરીશ. વધુમાં તેમણે મોરબીવાસીઓને આજ સાંજ સુધીમાં અવશ્ય મતદાન કરવા પણ જણાવ્યું હતું.

- text