મોરબીમાં કાલે રવિવારે નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહતદરે વસ્તુનું વેચાણ

- text


મોરબી : નવરંગ નેરચલ ક્લબ રાજકોટ દ્વારા આવતીકાલ તારીખ 9/4/2023 ને રવિવારના રોજ સવારે 8:30 થી 1:00 કલાક દરમ્યાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસેના સત્યેશ્વર મહાદેવ મંદિરની બાજુમા રાહત ભાવે વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

નવરંગ નેચરલ ક્લબ દ્વારા શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસેના સત્યેશ્વર મહાદેવ મંદિરની બાજુમા ઈગ્લિંશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચંપો, ગલગોટા, સ્ટ્રોબેરી, દરેક ફળ-ફૂલના રોપા રાહત ભાવે મળશે. મજબૂત હવા ઉજાસવાળા દોરીથી ગુંથેલા ચકલીના માળા પણ રાહત દરે 70 રૂપિયામાં મળશે. દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ પાઉડર, સિંધા નમક, શુદ્ધ ચોખ્ખુ મધ, ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતીથી બનેલું જીરું, ધાણા, રાઈ, મેથી, ચણા, ગૌ મુત્રની ફીનાઈલ, ગાયની છાસ વગેરે વસ્તુઓનું રાહત દરે વેચાણ કરાશે. વધુ માહિતી માટે વી. ડી. બાલા મો.નં. 9427563898 અને લવજીભાઈ પ્રજાપતિ મોરબી મો.નં. 9925369465 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text