રવાપરની બજરંગ સોસાયટીના કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતીએ યોજાશે વિવિધ કાર્યક્રમો

- text


મોરબી : મોરબીના રવાપર ખાતે કેનાલની બાજુમાં રામકો બંગ્લોઝની સામે આવેલી બજરંગ સોસાયટી ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે તારીખ 6 એપ્રિલ ને ગુરુવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે સવારે 5 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠ યોજાશે. ત્યારબાદ સાંજે 5-30 કલાકે બટુક ભોજન, સાંજે 6-30 કલાકે ધ્વજારોહણ, સાંજે 7 કલાકે મહાઆરતી અને સાંજે 7-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ યુવક મંડળ આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે આજે તારીખ 5 એપ્રિલના રોજ રાત્રે 9-30 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક નંદરામ ગોંડલીયા અને સાહિત્યકાર વેલજી ઠાકોર ઉપસ્થિત રહેશે.

- text

- text