મોરબીના પાટીદાર શિક્ષક સમાજના કન્વીનરો બેઠક યોજાઈ

- text


મોરબી : છેલ્લા પાંચ વર્ષથી “હું” નહીં પણ “આપણે” ના સૂત્રને સાર્થક કરી સામાજિક ઉત્થાન માટે કાર્યશીલ એવા મોરબી પાટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોની સંસ્થા એટલે કે પાટીદાર શિક્ષક સમાજ, જે અંતર્ગત મોરબીના પે સેન્ટર શિક્ષક કન્વીનરોની બેઠક 4 એપ્રિલના રોજ રવાપર તાલુકા શાળા ખાતે યોજાઈ હતી.

પાટીદાર શિક્ષક સમાજના કન્વીનરોની બેઠકમાં વર્ષ 2023ની સભાસદ ફી તેમજ આ વર્ષે આયોજિત કરવાના પ્રોજેક્ટો અને પ્રકલ્પો બાબતે ચર્ચા વિચારણા અને આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા તેમજ મહામંત્રી કિરણભાઈ કાચરોલા ખાસ ઉપસ્થિત રહ્યા અને પ્રેરણા પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા. આ તકે સંદીપ આદ્રોજા દ્વારા પાટીદાર શિક્ષક સમાજની જનરલ કાર્યવાહી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી તેમજ શિક્ષક મુકેશભાઈ બરાસરા દ્વારા આ બેઠક માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આગામી સમયમાં પાટીદાર શિક્ષક સમાજ મોરબીના તમામ સભાસદ શિક્ષકોની જનરલ બેઠક મળશે.

- text

- text