માળીયા(મિ.)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

- text


9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મ સભા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

માળીયા (મિ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ સમાજ જીવનને બહુ જ દિવ્યતા પ્રદાન કરી છે. જેમાં દેવ મંદિરો/રામજી મંદિરો એટલે આધ્યાત્મીક ઉર્જાથી અંતઃકરણને દૈવતવંતુ બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. સર્વજીવ હિતાવહક સંદેશાઓમાં પ્રવર્તક ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ મહાપ્રભુએ પણ દરેક ગામડાઓમાં મંદિરોની પરંપરાને ખુબ જ મહત્વ આપી સમાજને એક નવો માર્ગ ચિંધ્યો છે. ત્યારે નાનુ છતાં સાક્ષાત દિવ્યતા થાય એ પૈકીનું માળીયા(મી) તાલુકાનું ચાંચાવદરડા ગામમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના 100 વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે સમસ્ત ચાંચાવદરડા ગામ દ્વારા ત્રી-દિવસીય શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, ધૂન ભજન, સંતોના સામૈયા, ધર્મ સભા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા ધાર્મિક કાર્યો કરી શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ ત્રી-દિવસીય શતાબ્દી મહોત્સવ પૂર્વે 100 કલાક અખંડ રામનામ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. અખંડ રામનામ જાપ તારીખ 4 મે ને રવિવારે સવારે 8 વાગ્યા થી 8 મે ને ગુરુવારના બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તારીખ 9 મેના દિવસથી શતાબ્દી મહોત્સવમાં નિર્ધારેલ વિવિધ દિવ્ય પ્રસંગોમાં તારીખ 9 મે ને ગુરુવારે સાંજે 5 થી 7-30 કલાકે ગોપી મંડળ(ગામની સ્ત્રીભક્તો ધુન-કિર્તન) ત્યારબાદ સાંજે 7-30 કલાકે સાંજનો પ્રસાદ તેમજ રાત્રે 9-30 થી 1-30 કલાકે ચાંચાવદરડા (બજરંગમંડળ) દ્વારા સુંદર મજાનું નાટક ભજવવામાં આવશે. જયારે બીજા દિવસ એટલે કે તારીખ 10 મે ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે સંસ્કાર ઈમેજીંગ સેન્ટર- મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે યજ્ઞમાં બેસનારની દેહ શુદ્ધિ સાથે સરપદડ ગામના ભૂપતભાઈ દ્વારા રામધૂન ત્યારબાદ સ્થાપિત દેવ પૂજન કર્યા બાદ બપોરે 12 કલાકે મહાપ્રસાદ બાદ કુટીર યજ્ઞ બપોરે 3 કલાકે યોજાશે. રાસ ગરબા સાંજે 5-30 થી 7-30 કલાકે યોજાશે. ત્યારબાદ સાંજે 7-30 કલાકે પ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 9-30 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજશે. જેમાં જૂનાગઢના ભગવતીબેન ગૌસ્વામી હાજર રહી ભજનની રમઝટ બોલાવશે.

- text

શતાબ્દી મહોત્સવના અંતિમ દિવસે 11 મે ને શનિવારના રોજ સવારે 7 કલાકે મહાઅભિષેક, શોભાયાત્રા સવારે 7-30 કલાકે, ધર્મ સભા સવારે 9 કલાકે, મહાપ્રસાદ બપોરે 11-30 કલાકે, ધ્વજા રોહણ બપોરે 12 કલાકે, મહાયજ્ઞનું બીડું હોમ બપોરે 12-15 કલાકે અને ત્યારબાદ રામજી મંદિર ખાતે મહાઆરતી કરી શતાબ્દી મહોત્સવની પુર્ણાહૂતિ કરવામાં આવશે. ત્યારે સમગ્ર મહાયજ્ઞ તેમજ હોમ હવન આદિના જજમાન સ્થાને શાસ્ત્રી રાજુભાઈ શાંતિલાલ મહેતા (ચાંચાવદરડાવાળા) દ્વારા કરાવવામાં આવશે. ત્યારે શ્રીલક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવની શોભામાં અભિવૃધ્ધિ કરવા શ્રીલક્ષ્મીનારાયણ મંદિર વતી સમસ્ત ચાંચાવદરડા ગામ દ્વારા સૌ કોઈ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text