- text
મોરબીઃ મોરબીના લજાઈના ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં દીકરા વગરના નિઃસહાય વૃદ્ધો માટે બનાવેલા ઉમિયા માનવ મંદિરમાં હેલીફેનનું દાન કરનાર દાતા શૈલેષભાઈ વિરપરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ઉમિયા માનવ મંદિરમાં હાલ દરિદ્ર નારાયણો માટેના મંદિરમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. આ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવ નિર્મિત માનવ મંદિર માટે કેરાળા (હરીપર) ના વતની હાલ મોરબીના રહેવાસી શૈલેષભાઈ કે. વિરપરિયા તરફથી મસ મોટો કિંમતી હેલીફેન 24 ફૂટ ડાયામીટર વાળો નંગ-૧ ભેટ મળ્યો છે. તે બદલ ઉમિયા માનવ મંદિરના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, ઠાકરશીભાઈ ક્લોલા સહિતના કાર્યકર્તાઓએ દાતા શૈલેષભાઈ વિરપરિયાને ઉમિયા માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો.
- text
- text