જોડિયાના પાટાવાળા હનુમાનજી મંદિરે 22 માર્ચથી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ

- text


મોરબી : જોડિયાના પાટાવાળા હનુમાનજીના મંદિરે આગામી તારીખ 22 માર્ચથી 30 માર્ચ સુધી શ્રીરામ પારાયણના જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

જોડિયાના પાટાવાળા હનુમાનજીના મંદિરે જોડીયા, બાદનપર, ભાદરા અને લીંબુડા ગામના લોકોના સાથ સહકારથી આગામી તારીખ 22 માર્ચથી 30 માર્ચ સુધી શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથા યોજાશે. જેમાં વ્યાસપીઠ પર કથાકાર જમનાદાસ બાપુ નિમાવત બિરાજીને સંગીતમય શૈલીમાં ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથામાં આવતા દરેક માંગલિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે ત્યારે. મંદિરના મહંત લાલદાસજી મહારાજે કથાનો લાભ લેવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text