2જીએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મોરબી જિલ્લામાં પ્રચાર કરશે

- text


ટંકારા, પડધરી અને કુવાડવામાં જાહેર સભા સંબોધશે

મોરબી : લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહેતા પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે ત્યારે રાજકોટ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગામી તારીખ 2જી મે ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર કરશે સાથે જ ટંકારા, પડધરી અને કુવાડવામાં જાહેર સભા પણ સંબોધશે.

આગામી તા.2જી મેના રોજ સવારે 8 કલાકે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે ધ્વજારોહણ અને દર્શન કરીને મોરબી જિલ્લામાં પ્રચારની શરૂઆત કરશે. ત્યાંથી રાજપર, ચાચાપર, ખાનપર, થોરાળા, પંચાસર, શિવનગર, અમરાપર, મોટી વાવડી, માણેકવાડા, બગથળા, નાની વાવડી, પીપડીયા, લુટાવદર, ખેવારીયા, નારણકા, માનસર અને વનાળીયા ગામનો પ્રવાસ કરશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ટંકારા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે. સાંજે 7 કલાકે પડધરી ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી જાહેર સભાને સંબોધન કરશે. રાત્રે 8 કલાકે કુવાડવા ખાતે ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકી જાહેર સભા સંબોધનાર હોવાનું જાણવા મળે છે.

- text

- text