હળવદ માર્કેટ યાર્ડ ધાણાથી છલકાયુ : આવક, દૈનિક 40થી 45 હજાર મણ આવક

- text


ધાણાની પુષ્કળ આવકથી બે દિવસ સુધી હરરાજી થતી હોય જગ્યાના અભાવને લીધે ધાણા વેચવા આવતા ખેડૂતોને અગાઉથી કમિશન એજન્ટ કે માર્કેટ યાર્ડને જાણ કરવા અપીલ

હળવદ : હળવદમાં રવિ સિઝીનમાં હાલ જણસીઓ ખાસ કરીને હળવદ પંથકમાં ધાણાનું બમ્પર ઉત્પાદન થયું હોય એમ હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની ચિક્કાર આવક થઈ રહી છે. દૈનિક 40થી 45 હજાર મણ આવક થઈ રહી હોય યાર્ડ ધાણાથી છલોછલ ભરાય જાય છે. ધાણાની પુષ્કળ આવકથી બે દિવસ સુધી હરરાજી થતી હોય જગ્યાના અભાવને લીધે ધાણા વેચવા આવતા ખેડૂતોને અગાઉથી કમિશન એજન્ટ કે માર્કેટ યાર્ડને જાણ કરવા અપીલ કરાઈ છે.

હળવદ માર્કેટ યાર્ડના સેકેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હળવદ માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનમાં સૌથી વધુ ધાણા આવક થઈ રહી છે. હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક એટલી ભરપૂર છે કે, એક દિવસમાં ધાણા આવક 40થી 45 હજાર મણ થાય છે. એક દિવસમાં 20 હજાર મણ થી વધુ ધાણાની હરરાજી થાય છે. એટલે એક દિવસની ધાણાની આવકની હરરાજી કરતા બે દિવસ જેવો સમય લાગે જેને કારણે માર્કેટ યાર્ડમાં જગ્યા બચતી ન હોય ત્રીજા દિવસે ફરીથી ધાણાની આવક લેવાનું ચાલુ કરીએ છીએ.ભાવની વાત કરીએ તો સારા અને સૂકા ધાણા હોય તો 900થી માંડી 1700 રૂપિયા સુધીનો ભાવ રહે છે.

અન્ય જણસીની વાત કરીએ તો એરડો 10 હજાર મણ, રાય 15 હજાર મણ, રાયડો 5 હજાર મણની દૈનિક આવક થાય છે. માર્કેટ યાર્ડનું ચોગાન બહુ જ મોટું હોવા છતાં હાલ ધાણાની પુષ્કળ આવક થતી હોય બે દિવસનું વેઇટિંગ આવે છે. છતાં સારા ભાવથી આ જણસીઓનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. પણ ધાણાની ભરપૂર આવક હોવાથી જગ્યા બચતી ન હોય ખેડૂતો ધાણા લઈને માર્કેટ યાર્ડમાં વેચવા આવે તે પહેલાં તેઓ કમિશન એજન્ટ અથવા માર્કેટ યાર્ડને જાણ કરે જેથી જગ્યા ન હોય તો તેઓને ધાણા વેચ્યા વગર ખાલી હાથે પરત જવું પડે એટલે ખોટો ધક્કો ન થાય એ માટે વેચવા આવતા ખેડૂતોને અગાઉથી કમિશન એજન્ટ કે માર્કેટ યાર્ડને જાણ કરવા યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ દ્વારા અપીલ કરાઈ છે.

- text

- text