- text
મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા અને રફાળેશ્વર નજીક મોટર સાયકલ ગેરેજ ધરાવતા યુવાનનું ગેરેજ બરાબર ચાલતું ન હોય આર્થિક સંકળામણમાં આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના પરશુરામ પોટરી કવાટર્સમાં રહેતા અને હાલમાં પીપળી રોડ ઉપર ત્રિલોકધામ સોસાયટીમાં રહી રફાળેશ્વર નજીક મોટર સાયકલ ગેરેજ ધરાવતા લલિત ઉર્ફે નિલેશ મનુભાઈ મકવાણા ઉ.25 નામના યુવાનનું ગેરેજ બરાબર ચાલતું ન હોય આર્થિક સંકળામણમાં આવી જતા પોતાના ઘેર છતના ભાગે હીંચકો લગાવવાના હુક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text