મોરબીઃ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરાયું

- text


મોરબીઃ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજ રોજ 25 ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે ટી.બી.ના ૪૦ જેટલા દર્દીઓને દવા સાથે સારો આહાર મળે એ હેતુસર વિવિધ દાતાઓના સહયોગથી ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા દાતાઓ તરીકે અરવિંદભાઈ વાંસદડિયા, રમેશભાઈ વાંસદડીયા, કમલેશભાઈ વિલપરા, રમેશભાઈ આદ્રોજા, વિપુલભાઈ પટેલ તેમજ લાલપર ગામ ના વિવિધ આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આ કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, પિયુષભાઇ જોશી, અંકિતભાઈ પરમાર સહિતના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય કર્મચારી એવા દિલીપ દલસાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text