હળવદ પાલિકા વેરા બાકીદારોને 31 માર્ચ સુધી આપશે 10 ટકાની રાહત

- text


 

ગેરકાયદે નળ કનેક્શન ધરાવનારાઓને પણ કનેક્શન કાયદેસર કરી અપાશે

હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા કરદાતાઓ માટે રાહત જાહેર કરાઇ છે. જે કોઈ કરદાતાઓ પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્ષ તા. ૩૧ માર્ચ સુધીમાં ભરપાઈ કરશે તે બાકીદારોને ૧૦%ટકાની રકમ માફ કરવામાં આવશે

- text

હળવદના નાના મોટા વેપારીઓ ધંધાર્થીઓ તેમજ વર્ષોથી જે પ્રોપર્ટીના ટેક્ષ બાકી છે તેવા લોકો જો આ વેરાઓ નગરપાલિકા કચેરી તારીખ ૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં ભરસે તો તેને રિબેટ મળશે અને ત્યાર બાદ દરેક પ્રોપર્ટી પર વ્યાજ લાગુ કરવામાં આવશે અને હાલ જે લોકોના નળ કનેક્શન પણ ગેર કાયદેસર છે તેવા લોકો ને પણ તત્કાલિક અસર થી નળ કનેકશન રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે. બાદમાં જે લોકોના નળ કનેક્શન ગેર કાયદેસર જણાશે તેવા લોકોના કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવશે. નગરપાલિકાના કરદાતાઓ બાકી વેરાઓ ભરપાઈ કરી સ્થળ પરની જે હકીકત હોય તે રેકર્ડ પર રજુ કરશે તેને નિયમ મુજબ રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે તેમ જણાવાયું છે.

 

- text