ટંકારા પોલીસ મથકે લોક દરબાર યોજાયો

- text


વ્યાજખોરો અને લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહીની ખાતરી આપતા સીપીઆઈ

ટંકારા : ટંકારા તાલુકા પોલીસ મથકે સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર અને પીએસઆઇની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો આગેવાનો અને અરજદારો સાથે પોલીસ સ્ટેશનમાં લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું.

લોક દરબારમા વ્યાજખોરી, લુખ્ખાતત્વો, ચોરી, લૂંટ, છેતરપીંડી જેવા અનેક બનાવોમાં પોલીસ પ્રજાની મિત્ર બનીને કામ કરી રહી છે તેમજ લોકોને જરૂરી માર્ગદર્શન આપીને આવા કોઈ બનાવો બને તો તાત્કાલિક ફરિયાદ કરવા જણાવાયું હતું.

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ લોકદરબારમાં સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ગોલ અને થાણા અમલદાર એચ.આર. હેરભા ઉપરાંત ટંકારા તાલુકાના જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા સહિત સરપંચો આગેવાનો અને નાગરીકો હાજર રહ્યા હતા.

- text

- text