- text
વાંકાનેરઃ ગઈકાલે તારીખ 30 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થયું હતું ત્યારે આજ રોજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વાંકાનેરના શ્રીરામ કોમ્પલેક્ષમાં આવેલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના કાર્યાલય ખાતે જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પરિવારના તમામ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text