હીરાબાના નિધન પગલે મોરબીમાં ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ રદ

- text


મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતા મોરબીમાં રવિવારે યોજાનાર ચારેય ધારાસભ્યોને સન્માન કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.

પરશુરામધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર, આગામી તારીખ 1 જાન્યુઆરી ને રવિવારના રોજ સાંજે 5 વાગ્યે મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબીના નવા ચૂંટાયેલા ચારેય ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના સ્વર્ગવાસના કારણે આ સન્માન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

- text

- text