- text
માળીયા (મી.): તાલુકાના ખાખરેચી (નારાયણનગર) ગામે આગામી તારીખ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બજરંગ મંડળ દ્વારા ખાખરેચી (નારાયણનગર) ગામે 1 જાન્યુઆરી ને રવિવારથી 7 જાન્યુઆરી શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરાયું છે. જેમાં ભાગવતાચાર્ય શાસ્ત્રી દુષ્યંત મારાજ (ખાખરેચીવાળા) વ્યાસપીઠ પર બિરાજી દરરોજ બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. 1 જાન્યુઆરીએ સવારે 9-15 કલાકે રામજી મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાશે. કથા દરમિયાન દરરોજ વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે.
- text
- text