મોરબીમાં યુવા મતદારોએ 26/11 હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી

- text


પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોએ ભાજપના વિકાસમંત્રને વધાવ્યો : રેલી યોજી ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દીનની ઉજવણી પણ કરી

મોરબી : આગામી તા.1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનુ પ્રથમ તબક્કામાં મોરબી-માળીયા બેઠક માટે મતદાન યોજાનાર છે.મોરબી-માળીયા બેઠક પર આશરે 20 હજાર જેટલા નવા યુવા મતદારો જોડાયા છે, જેઓ પ્રથમ વખત મતદાન દ્વારા લોકતંત્રનો પર્વ ઉજવવા જઈ રહ્યા છે, આજે પ્રથમ વખત મતદાર કરવા ઉત્સુક બહોળી સંખ્યા માં યુવા મતદારોએ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કરી રેલી યોજી 26/11 હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી સંવિધાન દીનની ઉજવણીના ભાગરૂપે ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આજ રોજ ભારતીય બંધારણ દિવસ નિમિતે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ 26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માં આવી હતી.આ તકે કાંતિભાઈ અમૃતિયા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સુર્યરાજસિંહ જેઠવા,ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, સુખદેવભાઈ દેલવાડીયા, વનરાજસિંહ, વરસડાભાઈ ,અજયભાઈ કોટક, નિર્મિતભાઈ કક્કડ, ભરતભાઈ બારોટ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text