ધ્રાંગધ્રા-હળવદમાં ભાજપનો કેસરિયો “પ્રકાશ” થશે પ્રજ્વલ્લિત

- text


 

પ્રચંડ જન-સમર્થનથી પ્રકાશભાઈ વરમોરાની જીતનો વિશ્વવાસ વ્યક્ત કરતા ગામે ગામના સરપંચો

રાજકોટના સામાજિક અગ્રણીઓએ પણ વરમોરાના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ

મોરબી : ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા મત વિસ્તાર ગામોમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને સરપંચો તરફથી મળી રહેલા ટેકાથી તેઓની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તેવો વિશ્વાસ ગાજણવાવ ગામના સરપંચ પિતામ્બરભાઈએ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ, શ્રીજી ગૌટશાળાના ટ્રસ્ટી એવા ગૌભક્ત રમેશભાઈ ઠક્કર અને ભારત સરકાર પશુપાલક મંત્રાલયના માનદ સલાહકાર અને એનિમલ હેલ્પલાઇનના સંચાલક મિતલભાઇ ખેતાણી તેમજ ભારતમાં સ્વદેશી પીણું સબરસના માલિક રામજીભાઈ પનારા, થાનગઢવાળા કાળુભાઈ પટેલ, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ સહિતનાએ પ્રકાશભાઈ વરમોરાને શુભેચ્છા પાઠવી તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તા 25ને શુક્રવારે વરમોરાએ ભેયડા ગાજણવાવ, બાવળી, હરિપર, ઇશદ્રા, વાવડી, સજનપુર, જેસડા, વીરેન્દ્રગઢ, નરાળી, નિમકનગર, સતાપર, ઘનશ્યામગાઢ અને રાજપર ગામની મુલાકાત લીધી હતી. આ ગામોમાં નાની બાળાઓએ કુમકુમ તિલક સાથે વરમોરાનું સ્વાગત કર્યું હતું. ઉક્ત તમામ ગામોમાંથી વરમોરાને ભરપૂર સમર્થનની ખાતરી મળતા ભાજપનો ભગવો ધ્રાંગધ્રા હળવદ વિસ્તારમાં ફરકશે જ તેવો વિશ્વાસ વરમોરાએ વ્યક્ત કર્યો હતો.

- text

- text