ટંકારા : વૈદિક યજ્ઞ કરીને બાળકોને RSSના પોશાક આપી જન્મદિવસની ઉજવણી

- text


મોરબીઃ આર્ય વિદ્યાલયમાં ધોરણ-1માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના જન્મદિવસની પિતાએ અનોખી રીતે ઉજવણી કરી હતી. પિતાએ દીકરીના જન્મદિવસ નિમિત્તે વૈદિક યજ્ઞ કરી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પોશાકની સાથે વિશેષ જન્મદિવસની ઉજવણી કરી હતી. ટંકારાના વેપારી જયદીપભાઈ ઘોડાસરાની દીકરીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને નહીં પરંતુ વૈદિક યજ્ઞ અને સંઘના પોશાક બધા જ બાળકોને ભેટ આપીને ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારાના વેપારી યુવાને દીકરીના જન્મદિવસે બધા બાળકો એક જ રાષ્ટ્રના સેવકના પરિધાનમાં શોભાયમાન બને અને નાનપણથીજ બાળકો રાષ્ટ્ર ધર્મ વિશે જાણે અને જીવનમાં ઉતારે તેના માટે આરએસએસનો પોશાક ભેટમાં આપ્યો હતો.

આ અનોખી ઉજવણી બદલ આર્ય વિદ્યાલયમ્ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા તથા મનોજભાઈ પાણ, સંઘ સહવાહક તેમજ જયદીપભાઈ ઘોડાસરાએ ક્રિવાને જન્મદિવસના શુભાશિષ પાઠવ્યા હતા.

- text

- text