મોરબીમાં આચારસંહિતા ભંગની ફરિયાદનું 20 મિનિટમાં નિરાકરણ લાવતું ચૂંટણી તંત્ર

- text


મોરબી : ચુંટણી વિભાગ દ્વારા આચારસંહિતા ભંગની ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ફરિયાદ મળ્યા બાદ 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં સ્થળ ઉપર આવી બેનર હટાવવામાં આવ્યું છે.

ઇલેક્શન કમિશન દ્વારા આચાર સહિતા ભંગ માટેની ફરિયાદ નિવારણ માટેની એપ્લિકેશન સી – વિજીલ કાર્યરત છે. જેમાં મોરબી માળિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટી નાં બેનરો હજી સુધી લાગેલા છે એની ફરિયાદ મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદના 20 મિનિટ બાદ જ આ બેનર ચૂંટણી વિભાગ દ્વારા હટાવવામાં આવ્યું હતું.

- text

- text