ઉધારમાં ખોળ ખરીદી નાણાં નહિ ચૂકવાનાર અસામીને 9 ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા ટંકારા કોર્ટનો આદેશ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામેના વેપારી પાસેથી ઉધારીમાં ખોળ ખરીદ કરીને રૂપિયા ન આપનાર આસામીને કોર્ટે 9 ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા ટંકારા નામદાર કોર્ટે આદેશ કર્યો છે.

ટંકારાના નેકનામ ગામે ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ મીલના ભાગીદાર મયુરકુમાર હેમરાજભાઈએ કપાસીયા ખોળનું વેચાણ કર્યું હતું. આ વેચાણ માલની રકમ રૂપિયા 6,37,000 ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયા પાસેથી લેણી નીકળતી હતી. પરંતુ રકમ ન ચૂકવાતા આ રકમ વસુલવા માટેનો કેસ ટંકારા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

- text

જે અંગેનો કેસ ચાલી જતાં નામદાર ટંકારા સિવિલ કોર્ટે દ્વારા લેણી રકમ દાવાની તારીખથી 9 ટકા વ્યાજે સહિત ચુકવવાનો ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયાને હુકમ કર્યો છે. આ કેસમાં ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના યુવા વકીલ અલ્પેશ હાલપરા રોકાયેલા હતા.

- text