મોરબીમાં એસીબી દ્વારા યોજાઈ તિરંગા યાત્રા

- text


તિરંગા યાત્રામાં એસીબીનો સ્ટાફ, સ્થાનિક અગ્રણીઓ સહિતના લોકો જોડાયા

મોરબી : મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં એસીબીનો સ્ટાફ, સ્થાનિક અગ્રણીઓ સહિતના લોકો જોડાયા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોરબી તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાના પી. આર. ઓ. જુઝેર એમ. અમીન, વોરા સમાજના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનોએ ભાગ લીધો હતો.આ તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશનથી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન પહોંચી હતી. તિરંગાા યાત્રા દરમ્યાન ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

- text

- text