ટંકારા તાલુકા ભાજપ દ્વારા 8 હજાર તિરંગાનું વિતરણ

- text


ટંકારા : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા હેઠળ ટંકારા તાલુકા ભાજપ દ્વારા 8 હજાર તિરંગાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ધર તિરંગાને સાર્થક કરવા ટંકારા તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા બાદ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાના વડપણ હેઠળ મહા મંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, જીલ્લાના ઉપ પ્રમુખ હરેશભાઈ ધોડાસરા, શહેરના અગ્રણી કાનાભાઈ ત્રિવેદી, રશિકભાઈ દુબરીયા, નિલેશ પટણી દિનેશભાઇ વાધરીયા ચિરાગ કટારીયા સહિતના અનેક કાર્યકરો એ ગામડે ગામડે જઈ કુલ 8000 જેટલા તિરંગા પહોંચતા કર્યા હતા. જેના પગલે ગામો ગામ રાષ્ટ્ર ધ્વજ લહેરાઈ રહ્યો છે.

- text

- text