મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નૂતન જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મોરબી દ્વારા આજરોજ 11 ઓગસ્ટ ને રક્ષાબંધનના પર્વે નૂતન જનોઈ ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી ઔદિચ્ય જ્ઞાતિની વાડી ખાતે આજે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લના આચાર્ય પદે શ્રાવણ શુક્લ પૂર્ણિમા એટલે કે આજરોજ તારીખ 11 ઓગસ્ટને ગુરુવારે સવારે 8:30 કલાકે નૂતન જનોઈ ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જનોઈ ધારણ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text