- text
હળવદ: ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા કાળો કાયદો રદ કરાવાની માંગ સાથે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા કાળા કાયદાને રદ કરવા માટે રાજ્યના 182 ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ ગઈકાલે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાળા કાયદા બાબતે માલધારી સમાજની વેદના અને સરકાર તરફથી થતા અન્યાય બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ હકારાત્મક વલણ દાખવીને સરકારમાં આ અંગે રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.
- text
- text