ધો-૧૦,૧૨ અને ગ્રેજ્યુએશન પછી શું?મોરબીમાં બુધવારે માર્ગદર્શન સેમિનાર યોજાશે

- text


મોરબી સતવારા સમાજ દ્વારા આયોજન 

મોરબી : સતવારા સમાજ દ્વારા ધોરણ ૧૦ ,૧૨ અને ગ્રેજ્યુએશન પછી શું કરવું ? તે અંગેનો માર્ગદર્શન સેમિનાર બુધવારે યોજવામાં આવશે.આ સેમીનારમાં વિદ્યાર્થીઓને જરૂરી માહિતી તેમજ ઉપયોગી સાહિત્ય પણ આપવામાં આવશે.

સતવારા નવગામ જ્ઞાતિ- મોરબી દ્વારા આયોજિત ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે માર્ગદર્શન આપવા એક સેમિનારનું આગામી તા.૮ને બુધવારના રોજ સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા,રવાપર રોડ,પરસોતમ ચોક પાસે,કાલીકા પ્લોટ ,મોરબી-૧ ખાતે આયોજન કરેલ છે.ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ પછી શું કરવું.તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે.આથી તે અંગે યોગ્ય માહિતી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળી રહે તે માટે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

- text

આ સેમિનારમાં મોરબી જિલ્લાના રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા સાથે અન્ય નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.તો આ સેમિનારમાં ભાગ લેવા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીઓએ સમયસર હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ સેમિનારમાં ઉપયોગી સાહિત્ય આપવામાં આવશે.સ્પર્ધાત્મક પરીક્ષા ,એડમિશન તેમ જ શિક્ષણને લગતી વિવિધ માહિતી ,જે તે વિષયના નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે.

- text