- text
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના વરવધુએ પ્રભુતામાં પગલાં માંડ્યા
મોરબી : મોરબીમાં આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના વરવધુએ ઘડિયા લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ બંધ કરી ઘડિયા લગ્ન યોજવા શરૂ કરેલી પહેલ અન્વયે આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં ચિ.નિશાબેન નાગજીભાઈ ભીમાંણીના ચિ. વિપુલભાઈ વીરજીભાઈ અઘરા સાથે પ્રભુતામાં પગલાં પડ્યા હતા.
આ પ્રસંગે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડા તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં અને નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.
- text
- text