મોરબીના જલારામ મંદિરમાં શુક્રવારે ભજન સંધ્યા

- text


શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન

મોરબી : મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે ‘રામ નામ કે હીરે મોતી’ ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યા યોજાશે.

મોરબી જલારામ મંદિર ખાતે જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા બાળવિદુષી રત્નેશ્વરીબેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા. ૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન યોજાઈ રહી છે. ત્યારે આગામી તા. ૨૯-૪-૨૦૨૨ શુક્રવાર રાત્રે ૯ કલાકે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ગાયક તથા ભજનીક ‘રામ નામ કે હીરે મોતી’ ફેઈમ અશોકભાઈ ભાયાણી & સાજીંદા ગૃપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત (સિમ્કો ગૃપ)ના સહયોગથી રાખવામા આવેલ છે.

- text

તો આ કાર્યક્રમમા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને સમયસર પધારવા જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ તથા ચિરાગભાઈ રાચ્છ મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા નિર્મિત કક્કડ (પ્રમુખ, જલારામ સેવા મંડળ)ની યાદીમા જણાવ્યુ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text