- text
મોરબીના રંગપર બેલા ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ
મોરબી : મોરબી જિલ્લામાં આપઘાતના બનાવનો સિલસિલો યથાવત રહ્યો છે. અપમૃત્યુના અલગ અલગ બે બનાવમાં મોરબી તાલુકાના બંધુનગર ગામે પરિણીતાએ એસિડ પી અને રંગપર બેલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બંધુનગર નજીક આવેલ ભીમાણી સીરામીક ફેકટરીમાં રહેતા ડાકુબેન જીવણભાઇ ગુર્જર ઉ.28 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ડાકુબેનના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું બહાર આવ્યું છે.
- text
અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના રંગપર બેલા ગામે રહેતા જયભાઇ હિતેંદ્રભાઇ ભટ્ટ નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text