મોરબીમાં ડેલાવાળા મામાદેવનો નવરંગ મંડપ યોજાશે

- text


મોરબી : મોરબીમાં ડેલાવાળા મામાદેવનો મોજનો 24 કલાકનો નવરંગ મંડપ ઉત્સવ યોજવામાં આવનાર છે.

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા સાયન્ટીફીક વાળી શેરી, જુના મહાજન ચોક, નવયુગ ગારમેન્ટ પાસે ડેલાવાળાં મામાદેવના 24 કલાક મોજના નવરંગ મંડપ ઉત્સવનું આયોજન શનિવાર તા. 7ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં થાંભલી રોપણ અને ભુવાના સામૈયા સવારે શુભ ચોઘડીયે કરાશે. મહાપ્રસાદની વ્યવસ્થા સાંજે 6-30 કલાકે કરેલ છે. થાંભલીના વધામણા તા.8ને રવિવાર સવારે શુભ ચોઘડીયે કરાશે. તો આ શુભ અવસરે મામાદેવના માંડવાના દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા તેમજ મહાપ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text