નાના ખીજડીયામાં શનિવારે “ગીતો ભરી શામ બાબાસાહેબ કે નામ” કાર્યક્રમ

- text


ટંકારા : ટંકારાના નાના ખીજડીયામાં બાબા સાહેબ ડૉ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિતે ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બાબા સાહેબ ડૉ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિતે આગામી તા.13ને શનિવારના રોજ “એક શામ ભીમ કે નામ” “ગીતો ભરી શામ બાબા સાહેબ કે નામ” કાર્યક્રમનું રાત્રે 9:30 કલાકે નાના ખીજડીયા,ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગાયક કલાકારો પરેશ રાઠોડ એન્ડ ગ્રુપ અને માયા ચૌહાણ હાજર રહેશે.તેમજ ભીમ ભોજન સાંજે 7 કલાકે રાખવામાં આવ્યું છે.આયોજક પ્રવીણભાઈ ચૌહાણ(મો.99780 11813),ભરતભાઈ ચૌહાણ,નરેશભાઈ ચૌહાણ અને લખમણભાઇ ચૌહાણે લોકોને આ કાર્યક્રમનો આનંદ ઉઠાવા આમત્રંણ આપ્યું છે.

- text

- text