હળવદના સૂર્યનગરમાં વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જતા માસુમ બાળકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામે ગઈકાલે બે માસુમ બાળકોના પાણીની કુંડીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજવાની ઘટના હજુ તાજી જ છે ત્યારે આજે સવારે હળવદના સૂર્યનગર ગામે ખેતશ્રમિકનો એક વર્ષનો માસુમ બાળક રમતા -રમતા કુંડીમાં પડી જતા બાળકનું મૃત્યુ નિપજતા ખેત શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ સૂર્યનગર ગામે ઠાકરશીભાઈ પરમારની વાડીએ ખેત મજૂરી કરતા છોટા ઉદેપુરના અંબા ગામના વતની ગીરીશભાઈ રાઠવાનો એક વર્ષનો પુત્ર વંથ આજે સવારે વાડીમાં રમી રહ્યો હતો ત્યારે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

- text

- text