ટંકારામાં કાલે રવિવારે રંગેચંગે રામ જન્મોત્સવ ઉજવાશે

- text


શહેરને ધ્વજપતાકાથી સજાવી અયોધ્યાનગરી બનાવાઈ : શોભાયાત્રા નીકળશે, ઘરોમાં દિવા પ્રગટાવાશે

ટંકારા : ટંકારામાં સમસ્ત હિન્દુ ધર્મના ગ્રામજનોએ એક નેજા હેઠળ એકઠા થઈને આવતીકાલ રવિવારે ભગવાન રામ જન્મોત્સવ ઉજવવા અંગે બેઠક યોજી હતી.શહેરને ધ્વજા પતાકાથી સજાવી અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરાયો છે.આજે રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે આવતીકાલ રવિવારે ઘરના આંગણે આસોપાલવ તોરણિયા બાંધી શોભાયાત્રામાં જોડાશે.શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

ટંકારામાં વર્ષો પછી સમસ્ત ગામ દ્વારા ભગવાન રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે.ભગવાન રામનો જન્મદિવસ ચૈત્રી નોમના દિવસે હોય છે.રામ જન્મોત્સવ ઉજવવા ગત ગુરૂવારે રાત્રે શહેરના વાઘેશ્વરી મંદીરે નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી.જેમા નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ.સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે.બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવા અંગે અને ભૂતકાળમાં ક્યારેય ન ઉજવણી થઈ હોય એવી ઉજવણી કરવાનો એક સુર વ્યક્ત કરાયો હતો.

- text

આજરોજ દરેક ઘરોમાં દિવડા પ્રગટાવી ઉજવણીની ઝાંખી કરવામાં આવશે.આવતીકાલે રવિવારે દરેક ઘરોમાં આસોપાલવના તોરણ બાંધી શોભાયાત્રામાં લોકો જોડાઈ તેવી અપીલ સ્વયં સેવકો દ્વારા કરવામાં આવી છે.સોસાયટીના સાર્વજનિક પ્લોટથી ભગવાન રામની શોભાયાત્રાનો પ્રારંભ થશે.જે દેરીનાકા બહાર પંચમુખી હનુમાન મંદિરેથી મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા મેઈન રોડથી દયાનંદ ચોક,મેઈન બજાર,ત્રણ હાટડી,ઉગમણા દરવાજા,ઘેટીયાવાસ, દેરાસર રોડ,લક્ષ્મીનારાયણ મંદિરે મહાઆરતી બાદ લો-વાસ વિસ્તારથી ચિત્રકુટ ધામ ખાતે પૂર્ણ થશે.શોભાયાત્રા રૂટમા પંડાલ,ઠંડાપીણા,સરબત સહિત વ્યવસ્થા કરવામાં આવી છે.શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવાભાઇ અંદરપા પરીવાર દ્વારા કરવામાં આવી છે.

- text