ટંકારાના સાવડી નજીક મંદિરના મહંત ઉપર હુમલો લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરમાં ગતરાત્રીના અપપ્રવેશ કરી મંદિરના મહંતને માર મારી દાનપેટી લઈ જવાની ઘટનામાં અજાણ્યા ત્રણથી ચાર ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરમાં ગતરાત્રીના ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ અપપ્રવેશ કરી લોખંડની કોશ અને લાકડી વડે દરવાજાને નુકશાન કરી પૂજારી ઉપર કોશ વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે મંદિરના મહંત કિશોરભાઈ પરશુરામભાઈ ત્રીવેદી, ઉ.84, રહે.સાવડી ગામની સીમ અરણેશ્વર મહાદેવ મંદિર દ્વારા અજાણ્યા ત્રણ ચાર માણસો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

ટંકારા પોલીસે હાલ પૂજારીની ફરિયાદને આધારે અજાણ્યા ત્રણથી ચાર ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૫૮,૪૨૭,૩૨૪,૧૧૪,તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text