હળવદ નવા સ્વામિનારાયણ મંદિરનો ૧૫મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

- text


પાટોત્સવ નિમિત્તે સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણનું અને સત્સંગ સભાનું આયોજન

હળવદ : હળવદમાં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું)ના ૧૫માં વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રોથી ભરપુર ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ અને સત્સંગ સભા સપ્ત દિવસીયનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના સ્વામીનારાયણ નગરમાં આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર (નવું )ના ૧૫મો વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા.૨૧-થી-૨૭-૦૩ સુધી યોજાશે જેમાં શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણમાં ઘન્શયામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટનો અભિષેક,ગાદીપટ્ટા અભિષેક,રાજોપચાર પુજા, રાસોત્સવ,હીડોળા ઉત્સવ,પોથી યાત્રા,ઘનશ્યામ બાલ-બાલિકા મંચ,શ્રીહરિ પ્રાગટ્યોતસ્વ અને પાટોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

- text

આ કથાના મુખ્ય યજમાન તરીકે અમરશીભાઈ પ્રભુભાઈ ધારીયા પરમાર હસ્તે ગં.સ્વ રતનબેન અમરશીભાઈ ધારીયાપરમાર પરિવાર રહેશે. આ કથાના વક્તા શ્રી દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી (ચરાડવા)અને શ્રી વ્રજ વલ્લભદાસજી સ્વામી (મુળીધામ)કથાનું રસપાન કરાવશે.આ કાર્યક્રમના પ્રેરક શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર(નવું)હળવદ વાળા સહિત મહોત્સવમાં ધામોધામથી સંતો-મહંતો સાંખ્યયોગી માતાઓ પધારી આશીર્વચન આપશે તો દરેક સત્સંગી બંધુઓ તેમજ ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.આ મહોત્સવમાં અનેક રાજકીય મહાનુભવો આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

આ મહોત્સવને સફળ બનાવવા સ્વામિનારાયણ મંદિરના સ્વામી શિષ્ય મંડળ તથા સત્સંગી મંડળ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text