- text
મોરબી : મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે મોરબીમાં આગામી તારીખ 27/2/2022ને રવિવારના રોજ સવારે-10 વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
આ આયોજન કરવાનો મુખ્ય હેતુ માત્રને માત્ર દેશભક્તિ અને લોકોને આપણાં ક્રાંતિકારીના બલિદાન વિશે માહિતી મળે તે માટેનો છે.રેલી આઝાદ પાર્કથી ચાલુ થઇ રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા, ત્યાર બાદ સરદાર બાગ ખાતે પૂર્ણ થશે.
- text