શક્તિનગરના યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી

- text


ગઈકાલે મોબાઈલ, બાઈક કેનાલ કાઠે મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હતું

હળવદ : હળવદના શક્તિનગર ગામ નજીક આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા ૨૩ વર્ષીય યુવાને કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી ગયા બાદ ૨૦ કલાકની ભારે શોધખોળ બાદ આ યુવાનની લાશને કેનાલમાં થી બહાર કઢાઇ છે.

હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા અને મૂળ કોંઢના કલ્યાણપુર ગામના પ્રતાપભાઈ ધમાભાઈ ભુંભરીયા ઉંમર વર્ષ ૨૩ નામના યુવાને ગઈકાલે સવારના સાત વાગ્યાની આસપાસ દૂધ દેવા માટે ઘરેથી હળવદ જવા રવાના થયા હતા. જોકે બે કલાક વીતવા છતાં પણ યુવાન ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી એવામાં યુવાનના દૂધ ભરેલા કેન સાથેનું બાઈક અને મોબાઈલ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવતા યુવાનની શોધખોળ શરૂ કરાઇ હતી.

- text

બીજી તરફ આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ હોવાની આશંકા વચ્ચે પરિવારજનો દ્વારા હળવદના ટિકર ગામના તરવૈયાઓની મદદથી ગઈકાલે દિવસ દરમિયાન નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી. જો કે, મોડી સાંજ સુધી યુવાનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો બાદમાં પરિવારજનો દ્વારા રાત્રિના સમયે વોટરપ્રુફ કેમેરાથી પણ નર્મદા કેનાલમાં શોધખોળ જારી રાખી હતી. તેવામાં રાતના દોઢેક વાગ્યાની આસપાસ પ્રતાપભાઈનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતક યુવાનનું અકસ્માત કેનાલમાં પડી ગયો હતો કે આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.બીજી તરફ જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવારજનોમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.

- text