- text
મોરબી : જીલીયા ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા રબારી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
- text
ગુજરાત રબારી સમાજના ગાંધી અને રબારી સમાજનું ઘરેણુ જીલીયા ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા મોરબીના આગેવાન રમેશભાઈ રબારી, રામજીભાઇ રબારી તથા કિશનભાઈ રબારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
- text